ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના વવાણીયા પ્રા.શાળામાં આનંદ મેળાનું આયોજન


SHARE













મોરબી : માળીયા મીંયાણાના વવાણીયા પ્રા.શાળામાં આનંદ મેળાનું આયોજન

માળિયા મિયાણા તાલુકાની શ્રી વવાણીયા કન્યા શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વાનગીઓ જેવી કે ભેળ, પાણીપુરી, ભૂંગળા બટાકા, બ્રેડ બટાકા, ચણા મસાલા, મસાલા દાળ, વેજીટેબલ સેન્ડવિચ , મસાલા છાસ અને જનરલ સ્ટોર જેવા અલગ અલગ સ્ટોલ ઉભા કરી વેચાણ કરવામાં આવ્યું અને તમામ સ્ટોલનું સંચાલન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.માળિયા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર મહેન્દ્રભાઈ રાઠોડ તથા મોરબી જિલ્લા એસટીપી કો-ઓર્ડીનેટર ડાભીએ આ આનંદ મેળાની મુલાકાત લઈ બાળાઓનો ઉત્સાહ વધારેલ તથા કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને બિરદાવેલ.તે ઉપરાંત સ્થાનિક લોકો તથા શ્રી વવાણીયા કુમાર શાળાનાં બાળકો તથા શ્રી લક્ષ્મીવાસ પ્રાથમિક શાળાના બાળકોએ તથા શિક્ષકોએ આનંદ મેળાની મુલાકાત લઈ વિવિધ વાનગીઓનો સ્વાદ માણી બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં વ્યવહારુ કુશળતા, પ્રમાણિકતા, આત્મનિર્ભરતા, નાણાકીય કુશળતા અને કુકિંગ કૌશલ્યનો વિકાસ થાય તેવો શાળા પરિવારનો ઉદ્દેશ્ય હતો જે ઘણે ખરે અંશે સિદ્ધ થયો હતો.સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય ઇશ્વરભાઇ સાવરીયાએ સ્ટાફને અભીનંદન પાઠવ્યા હતા.






Latest News