ટંકારના સાજનપર ગામે પ્રાથમિક શાળામાં ફીટ ઇન્ડિયા સ્કૂલ વીક અંતર્ગત રમતોત્સવ યોજાયો
ટંકારાના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કર્યું
SHARE
ટંકારાના લખધીરગઢ ગામે પ્રાથમિક શાળામાં તુલસી પૂજન કર્યું
ટંકારાના લખધીરગઢ ગામે આવેલ પ્રાથમિક શાળામાં તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તુલસી માત્ર છોડ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. લગભગ દરેકના ઘરમાં તુલસીના છોડ હોય જ છે, પરંતુ તેનું શું મહત્વ છે તે બધાં બાળકો જાણતા હોતા નથી. તેમના ઔષધીય ગુણોથી પરિચય હોતા નથી. જેમ કે તુલસીનો છોડ જંતુઓને ભગાડે છે. તુલસીના છોડમાં ઉચ્ચ પોષણ મૂલ્ય હોય છે. તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તુલસીનો છોડ સ્વસન સંક્રમણ સામે લડી શકે છે. તુલસીનો છોડ હૃદયને ફાયદો કરે છે. તુલસીનો છોડ દાંતના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. અને તુલસીનાં સેવનથી અગણિત લાભ થતાં હોવાથી તેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. 'સુશ્રુત સંહિતા' અને 'ચરક સંહિતામાં' પણ તુલસીને ગુણકારી કહેવામાં આવી છે. તુલસી એક ઉત્તમ ઔષધિ છે. ભારતીય પૌરાણિક હિંદુ ફિલસૂફીમાં નોંધનીય છે. તુલસીના છોડને અંગ્રેજીમાં હોલી બેસિલ કહે છે. ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની તુલસી જોવા મળે છે. રામ તુલસી, કૃષ્ણ તુલસી અને વન તુલસી. આવી બધી વાતો શાળાના શિક્ષિકા પીપલીયા જીવતીબેન, હીનાબેન દેવમુરારી, ધર્મિષ્ઠાબેન માકાસણા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી અને અંતમા તુલસી માતાનું પૂજન કર્યું હતું









