મોરબીના લખધીરપુર રોડે કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત
અજય લોરિયા સાથે મારે આડા નહીં ધંધાકીય સંબંધ છે: મોરબીના પતિ-પત્નીના વિવાદમાં શ્રદ્ધા રાજપરાનો ખુલાસો
SHARE
અજય લોરિયા સાથે મારે આડા નહીં ધંધાકીય સંબંધ છે: મોરબીના પતિ-પત્નીના વિવાદમાં શ્રદ્ધા રાજપરાનો ખુલાસો
મોરબીમા મહિલાને આડા સબંધની શંકાના આધારે તેના પતિએ માર માર્યો હતો જેની ફરિયાદ પણ મહિલાએ નોંધાવી છે ત્યાર બાદ પહેલા પતિનો વિડીયો સોશ્યલ મીડિયામાં આવ્યો હતો ત્યાર બાદ તેની પત્નીએ વિડીયો મૂક્યો છે જેમાં મહિલાની સાથે અજય લોરિયાની પત્નીની પણ હાજર છે તેમાં તે મહિલાએ કહ્યું છે કે, મારા પતિના આક્ષેપો ખોટા છે અને મારે અજય લોરિયા સાથે માટે આડા નહીં ધંધાકીય સંબંધ છે
થોડા દિવસો પહેલા મોરબીમાં શ્રધ્ધા રાજપરા નામની પરણિતાએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે, તેના પતિ નીરવ રાજપરાએ અજય લોરિયા, મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈ અને જિમ વાળા હર્ષદભાઈ પટેલ સાથે આડા સબંધ હોવાનો આક્ષેપ કરેલ છે અને હોકી વડે માર માર્યો હતો જે ગુનામાં આરોપી પકડાયેલ નથી અને તેનો એક વિડીયો આવ્યો હતો જેમાં નીરવ રાજપરાએ કહ્યું હતું કે, શ્રધ્ધાએ અજય લોરીયાના ઈશારે ફરિયાદમાં મેહુલભાઈ અને હર્ષદભાઈનું નામ લખાવ્યું છે ત્યાર બાદ અજય લોરિયાની પત્નીની હાજરીમાં ફરિયાદી મહિલા શ્રધ્ધા રાજપરાનો એક વિડીયો સામે આવેલ છે જેમાં તેને કહ્યું છે કે, અજય લોરિયા પર કરેલા આક્ષેપો સદંતર ખોટા છે અજય લોરિયા સાથે તેના આડા નહીં પરંતુ ધંધાકીય સબંધ છે વધુમાં તેને કહ્યું છે કે, તે ડિઝાઇનર છે અને તેનો પતિ કઈ કમાતો ન હતો અને તેના બૂટિકે આવીને પણ તેને ઘણી વખત માથાકૂટ કરેલ છે









