મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પર સહિત 83,000 થી વધુ ની કિંમતના મુદ્દામાલની ચોરી હળવદના રાણેકપર ગામે મંદિરમાં જાળી અને એંગલ લગાવવાનું કામ કરતા વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને 2 મહિલા સહિત કુલ 12 વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને ધારીયા વડે માર માર્યો સરકારે ખાનગી કંપનીના વીજ પોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિનો અમને કોઈ પત્ર મળ્યો નથી, અમારું આંદોલન ચાલુ છે: મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં નેહુલ અમૃતિયાએ કરી પત્રકાર પરિષદ મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત


SHARE









મોરબીના લખધીરપુર રોડે કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના વંડા પાસે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોમાણી સીરામીક ખાતે રહેતા મહિપાલભાઈ ઉજાગરભાઈ ગૌતમ (૩૨) ને સિરામિક કારખાના વંડા પાસે કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તાત્કાલિક ૧૦૮ મારફતે તેને રાજકુમાર ગૌતમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતના બનાવવામાં ઈજા

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતો વીકીનભાઈ મનજીભાઈ દેસાઈ નામનો ૨૭ વર્ષનો યુવાન બેલાથી પીપળી બાજુ જતો હતો તે સમયે રાધે ક્રિષ્ના મોલની સામે બે બાઈક સામસામા અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામતા વિકીનભાઈ દેસાઈને મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો.જેથી તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબી રહેતો સુનિલ પુબનભાઈ કરણ નામનો ૨૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોરબીના બેલા રોડ ઉપર પુલ પાસે સોમનાથ પંપ સામે અજાણ્યા બાઇક સાથે તેનું બાઇક અથડાવાથી ઇજા પામતા તેને પણ સારવારમાં ખસેડાયો હતો.






Latest News