મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ સંપન્ન


SHARE









મોરબીના બાયપાસ રોડે આવેલ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ સંપન્ન

મોરબીમાં જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર દ્વારા ટેક ફેસ્ટ-૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં જુદી-જુદી શાળાઓમાથી ૩પ પ્રોજેકટ રજૂ થયા હતા. અને ખાસ કરીને હળવદની મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીનીઓ શૈલી રૂપાલા અને મનસ્વી સંધાણીએ ઇમર્જન્સી આયુર્વેદ પ્રોજેકટ રજૂ કર્યો હતો, ટંકારાની સરદાર પટેલ વિદ્યાલયની વિધાર્થિનીઓ નિમાવત દ્રષ્ટિ અને ભક્તિએ એન્ટી સ્લીપ અલાર્મ પ્રોજેકટ રજૂ કર્યો હતો જે બંને પ્રોજેકટને પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો તેમજ દ્વિતીય ક્રમે વીરપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ચાવડા મિલન, ચાવડા કેવીન અને ચાવડા રવિએ પ્રદૂષણ મુક્ત ઉર્જાનો પ્રોજેકટ રજૂ કર્યો હતો. અને માધ્યમિક વિભાગમાં પ્રથમક્રમે મોરબીની યુનિક સ્કૂલના વિધાર્થીઓ શોર્ય ગોસ્વામી અને અભય રાઠોડએ નારી સ્વ-રક્ષા પ્રોજેકટ રહ્યો હતો તો બીજા ક્રમે માધ્યમિક વિભાગમાં વાંકાનેરની તીથવા હાઇસ્કૂલના વિધાર્થીઓએ માણસૂરિયા વિશાલ અને શેરસિયા મોહમદઅંશએ ઝુલતા પુલમાં કેટલા લોકો વિઝિટ કરે તેની ગણતરી દર્શાવતું મોડલ રજૂ કર્યું હતું. અને ત્યારે વિજેતાઓને ટેફેસ્ટા૨ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ટી.ડી. પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને આ વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે પ્રોફેસર જીગ્નેશ ભીમાણી, ભરત ગોપાણી, પ્રોફેસર જાકાસણીયાએ સેવા આપી હતી






Latest News