મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનો રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીમાં વાહન અકસ્માતમાં ઘવાયેલ બે યુવાનો રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રમેશભાઈ શીવાભાઈ ઇટોદરા નામનો ૩૨ વર્ષનો યુવાન સાદુરકા ગામ અને સાદુરકા ગામના પાટીયા વચ્ચેથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર શકિતપરા વિસ્તારમાં રહેતા રમેશ શામજીભાઈ સારલા નામના ૧૮ વર્ષના યુવાનને પણ વહેલી સવારે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેને સિવિલે સારવારમાં લવાયો હતો જોકે અહીં મોરબી સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય તેને રાબેતા મુજબ ત્યાં સારવારમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેવામાં આવતા રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

બાળક-વૃદ્ધ સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા સુમિત પ્રહલાદભાઈ દેવીપુજક નામના ૧૦ વર્ષના બાળકને રણછોડનગર પાણીના ટાંકા પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પહોંચતા સુમિતને અહીંની સિવિલે સારવાર માટે લવાયો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના રામઘાટ પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા સેફુદીનભાઈ અસગરઅલી લાકડાવાલા નામના ૭૮ વર્ષના વૃદ્ધ રામચોકના ઢાળીયા પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા તેઓને પણ ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

ફિનાઇલ પી જતા મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા અવનીબેન મનીષભાઈ અંબારામભાઇ રાણીપા નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલની ગોળીઓ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી એ ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News