મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો


SHARE







મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપશાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી  ઋણાનુંબંધ મહોત્સવ યોજાઈ ગયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના ૩૦૦૦ જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકોનુંતેજસ્વી તરલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત હોય એમનું પણ સન્માન કરાયું હતું  આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું હતું અને ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરવામાં આવી હતી તો બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિરાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતું અને ચતુરભાઈ કાવરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને આ તકે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત અને કબીરધામના મહંત મહા મંડલેશ્વર ૧૦૦૮ શિવરામદાસજી આશિર્વચન પાઠવતા જણાવ્યું કે જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે જીવનમાં ગુરૂનું ખુબજ મહત્વ છે શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે આ સુંદર કાર્યક્ર્મ માટે શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા, તમામ શિક્ષકો અને આયોજકોને અભિનંદન આપ્યા હતા અને આ કાર્યક્ર્મમાં સમસ્ત બિલિયાવાસીઓ, બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોશ્યલ ગ્રુપના કાર્યકર્તાઓએ તનમન અને ધનથી ખુબજ જહેમત ઉઠાવી હતી






Latest News