મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો


SHARE











મોરબીના બિલિયા ગામની શાળામાં ઋણાનુબંધ શતાબ્દી મહોત્સવ ઉજવાયો

મોરબીની બિલિયા શાળાને સો વર્ષ પૂર્ણ થતાં ગામના સોશ્યલ ગ્રૂપશાળા પરિવાર અને સમસ્ત ગામ દ્વારા સાંજના ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી  ઋણાનુંબંધ મહોત્સવ યોજાઈ ગયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને માનવતાનું મહામુલું કાર્ય એવા રક્તદાન માટે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમસ્ત ગામના ૩૦૦૦ જેટલા લોકોનું સમૂહ ભોજન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમમાં ઉચ્ચ હોદા પર કાર્યરત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકોનુંતેજસ્વી તરલાઓનું સન્માન તેમજ શાળાના પ્રથમ વિદ્યાર્થી ધરમશીબાપા સાંણદિયા હાલ શતાયુ વર્ષની ઉંમરે હયાત હોય એમનું પણ સન્માન કરાયું હતું  આ કાર્યક્રમના દિલેર દાતાઓનું સન્માન કરાયું હતું અને ધનજીભાઈ કાવર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને હાઈજિન કીટ અર્પણ કરવામાં આવી હતી તો બિલિયા સોશ્યલ ગ્રુપ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિરાષ્ટ્રસેવાથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા આ પ્રસંગે ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ સૌનું શાબ્દીક અભિવાદન કર્યું હતું અને ચતુરભાઈ કાવરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને આ તકે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત અને કબીરધામના મહંત મહા મંડલેશ્વર ૧૦૦૮ શિવરામદાસજી આશિર્વચન પાઠવતા જણાવ્યું કે જીવનમાં શિક્ષણનું ખુબજ મહત્વ છે જીવનમાં ગુરૂનું ખુબજ મહત્વ છે શિક્ષક જ બાળકનું ઘડતર કરે છે આ સુંદર કાર્યક્ર્મ માટે શાળાના વર્તમાન આચાર્ય કિરણભાઈ કાચરોલા, તમામ શિક્ષકો અને આયોજકોને અભિનંદન આપ્યા હતા અને આ કાર્યક્ર્મમાં સમસ્ત બિલિયાવાસીઓ, બિલિયા ગામની બહાર મોરબી કે અન્ય શહેરોમાં વસવાટ કરતા સૌ લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર તેમજ બિલિયા સોશ્યલ ગ્રુપના કાર્યકર્તાઓએ તનમન અને ધનથી ખુબજ જહેમત ઉઠાવી હતી






Latest News