મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ તથા પથ સંચલનનું આયોજન કરાયું


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ તથા પથ સંચલનનું આયોજન કરાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગર દ્વારા શનાળા રોડ ઉપર નવ બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ જે. એ.પટેલ મહિલા કોલેજ ખાતે ગઇકાલે બપોરે ૩ થી ૬ ના સમયમાં એકત્રીકરણ તથા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા, સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા અને સ્વયંસેવકોએ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વિગેરેના સુંદર પ્રયોગ કરેલ હતા અને ત્યાર બાદ મહિલા કોલેજ, જી.આઇ.ડી.સી ., શનાળા રોડ, ડો. ભાડેસિઆ  હોસ્પિટલ થઈને મહિલા કોલેજ રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચલન ઘોષના તાલ સાથે નિકળ્યું હતું જેને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો આ પથ સંચલનમાં અંદાજે ૧૫૦ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે વક્તવ્ય આપ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર  પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની જરૂર છે આ ગૌરવ યુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયા, રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, સહ કાર્યવાહ જસ્મિનભાઈ હિંસુ, મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વિગેરેનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળેલ હતું આ કાર્યક્રમમાં અંદાજે ૨૩૦ સ્વયંસેવક ઉપસ્થિત રહયા હતા






Latest News