મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના સામાકાંઠે નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

શ્રી અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાનશ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય અનુગ્રહથી મોરબીની પવિત્ર ધરતી ઉપર પતિત પાવની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.આ દિવ્ય જ્ઞાનયજ્ઞમાં જીવ, જગત અને જગદીશનો સબંધ સમજી જીવનને નારાયણ પ્રિય બનાવી સાર્થક કરવામાં સંસારરૂપી ગૃહસ્થ ધર્મને સમજવા ઈશ્વરના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌને પધારવા આયોજકો દ્રારા હૃદયપૂર્વક જાહેર આમંત્રણ આપવમાં આવેલ છે.કથા પ્રારંભ વિક્રમ સંવત ૨૦૭૯ પોષ સુદ ૧૪  ને તા.૫-૧ ને ગુરૂવારથી થશે અને કથા વિરામ વિ. સં.૨૦૭૯ ને પોષવદ  ૪ ને  બુધવાર તા.૧૧-૧ ના થશે. 

કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપદેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પ્રસંગો ઉજવાશે કથાના વક્તા તરીકે મોરબીના સુપ્રસિદ્ધ વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા કથાનું રસપાન કરાવાશે.કથા નીલકંઠ મહાદેવ મંદિર, નીલકંઠ સોસાયટી મોરબી-૨ ના દરોજ બપોરે ૨ થી ૬ કલાક યોજાશે.કથા શ્રવણ માટે નીલકંઠ સોસાયટી મહિલા મંડળ અને ગોપી મંડળ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કોઈપણ યજમાનોને પોતાના પિતૃઓના ફોટા રાખીને પોથી પાટલા માટે નામ નોંધાવવા શાસ્ત્રીજીના મોબાઇલ નંબર ૮૦૦૦૯ ૧૧૪૪૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News