મોરબીના સામાકાંઠે નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું કરાશે સન્માન
SHARE
મોરબીના રવાપર નદી ગામે નિવૃત ફોજીનું કરાશે સન્માન
મોરબીના રવાપર નદી ગામના વતની તેમજ ફોજમા ૨૮ વર્ષ સુધી ફરજ પૂરી કરીને અહવે વતનમાં આવી રહ્યા છે ત્યારે સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું શક્તિનગર (રવાપર નદી) ગામ ખાતે ભવ્ય સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીના શક્તિનગર (રવાપર નદી) ગામના સરપંચ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા તેમજ ગામના વડીલો, આગેવાનો સહિતના લોકો દ્વારા સુબેદાર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન કરવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે નિવૃત જવાન ઉપર ગામના લોકો દ્વારા પુષ્પ વર્ષા સહિતનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, સહદેવસિંહ ઝાલાનું મૂળ ગામ રવાપર નદી છે માટે ત્યાં આગામી તા. ૮ જાન્યુઆરીને રવિવારના રોજ સરપંચ, રાજપૂત સમાજના અગ્રણીઓ, ગુજરાત કરણીસેનાના અગ્રણીઓ, મોરબી તાલુકાના સેવાભાવી ડોક્ટરો, સેવાભાઈ ગ્રુપ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાશે