મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીસરા ગામે વર્ષો જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો


SHARE











માળિયા (મી)ના મોટા દહીસરા ગામે વર્ષો જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનની તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને મૃતકના દીકરાએ ગામના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાની સાથે વર્ષો જૂની અદાવત હતી જેનો ખાર રાખીને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીને સકંજામાં લઈને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી માળીયા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરા કિશોરભાઇ વિનોદભાઇ ચાવડા (૨૫)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા (૪૭)ની મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે તીક્ષણ હથિયારના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી વધુમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાને વીસ વર્ષ પહેલા ગામમાં જ રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઈ ચંદુભાઈ મિયાત્રા સાથે સામું જોવા બાબતે અમ્ન્દુખ થયું હતું અને સાતેક વેશ પહેલા તેના કૌટુંબિક કાકા જેસંગભાઈ પરબતભાઇ ચાવડા સાથે તેને મનદુખ થયું હતું અને સમાજના આગેવાનોની સમજાવટથી તે મામલો થાળે પડ્યો હતો જો કે, મંગળવારે સવારે તેના પિતા નર્સરી નજીક રામદેવપીરનું મંદિર પાસે હતા ત્યારે ગાળા સહિત શરીરે સાત જેટલા તિક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી અને આ ઘટનાની ફરિયાદીને તેના સગા કાકા કાનાભાઈ મુળુભાઇ ચાવડાએ જાણ કરીને કહ્યું હતું કે રમેશભાઈ ઉર્ફે હકાભાઈએ મારા પિતાને છરીના ઘા મારીને તેની હત્યા કરી છે અને તેને લોહી વળી છરી લઈને ભાગતા જોયો હતો હાલમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લઈને આરોપીને સકંજામાં લઈ લીધેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News