મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીસરા ગામે વર્ષો જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો


SHARE











માળિયા (મી)ના મોટા દહીસરા ગામે વર્ષો જૂની અદાવતમાં યુવાનની હત્યા થઈ હોવાનો ધડાકો

માળિયા મીયાણા તાલુકામાં આવેલા મોટા દહીસરા ગામે નર્સરી નજીક રામદેવપીરનું મંદિર આવેલ છે અને મંદિર પાસે યુવાનની તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જેથી આ બનાવની માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશને મૃતકના દીકરાએ ગામના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાની સાથે વર્ષો જૂની અદાવત હતી જેનો ખાર રાખીને તેની હત્યા કરવામાં આવી છે જેથી કરીને પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીને સકંજામાં લઈને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવતા મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ મૂળુભાઈ ચાવડા જાતે આહિર (૪૭) ની તિક્ષણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી છે અને આ બનાવની મોટા દહીસરા ગામના સરપંચ દ્વારા માળિયા તાલુકા પોલીસ અને જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી માળીયા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરા કિશોરભાઇ વિનોદભાઇ ચાવડા (૨૫)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતા વિનોદભાઈ મૂળૂભાઈ ચાવડા (૪૭)ની મોટા દહીસરા ગામે આવેલ નર્સરી નજીક રામદેવપીરના મંદિર પાસે હતા ત્યારે તીક્ષણ હથિયારના આડેધડ ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી વધુમાં તેને જણાવ્યુ છે કે, તેના પિતાને વીસ વર્ષ પહેલા ગામમાં જ રહેતા રમેશભાઈ ઉર્ફે હકાભાઈ ચંદુભાઈ મિયાત્રા સાથે સામું જોવા બાબતે અમ્ન્દુખ થયું હતું અને સાતેક વેશ પહેલા તેના કૌટુંબિક કાકા જેસંગભાઈ પરબતભાઇ ચાવડા સાથે તેને મનદુખ થયું હતું અને સમાજના આગેવાનોની સમજાવટથી તે મામલો થાળે પડ્યો હતો જો કે, મંગળવારે સવારે તેના પિતા નર્સરી નજીક રામદેવપીરનું મંદિર પાસે હતા ત્યારે ગાળા સહિત શરીરે સાત જેટલા તિક્ષણ હથિયારના ઘા ઝીકિને તેની હત્યા કરી નાખી હતી અને આ ઘટનાની ફરિયાદીને તેના સગા કાકા કાનાભાઈ મુળુભાઇ ચાવડાએ જાણ કરીને કહ્યું હતું કે રમેશભાઈ ઉર્ફે હકાભાઈએ મારા પિતાને છરીના ઘા મારીને તેની હત્યા કરી છે અને તેને લોહી વળી છરી લઈને ભાગતા જોયો હતો હાલમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લઈને આરોપીને સકંજામાં લઈ લીધેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News