મોરબીની આલાપ સોસાયટી પાસે રસ્તાનું દબાણ હટાવવા આજે રાતે લોકો કરશે નવાજૂની
મોરબીથી રાજસ્થાન, નાથદ્વારા અને અજમેર સુધી શ્રી પટેલ ટ્રાવેલ્સનો કાલથી શુભારંભ
SHARE
મોરબીથી રાજસ્થાન, નાથદ્વારા અને અજમેર સુધી શ્રી પટેલ ટ્રાવેલ્સનો કાલથી શુભારંભ
મોરબીથી ઘણા લોકો રાજસ્થાન અને અજમેર સુધી જતાં હોય છે તેના માટે એક ગુડ ન્યૂઝ આવ્યા છે અને કાલથી મોરબીના લોકોને રાજસ્થાન, નાથદ્વારા અને અજમેર આવવા અને જવા શ્રી પટેલ ટ્રાવેલ્સની ખાસ બસ સેવા શરૂ થવા જય રહી છે અને શ્રી પટેલ ટ્રાવેલ્સની 2 X 1 સ્લીપર નોન એ.સી. ડેઇલી બસ સર્વિસ કાલે તા. ૫/૧/૨૩ ને ગુરુવારથી શરૂ થવાની છે ત્યારે મોરબી અને રાજસ્થાનના મુસાફરોને આ સુવિધાનો પણ લાભ મળશે
મોરબીથી શ્રી પટેલ ટ્રાવેલ્સની જે બસ રાજસ્થાન, નાથદ્વારા અને અજમેર સુધી શરૂ થવાની છે તેના માટેની તમામ માહિતી મોબાઈલ નંબર ૯૩૨૭૦ ૫૫૦૫૫ ઉપરથી મુસાફરોને મળી જશે અને આ બસ શનાળા બાયપાસ રોડે ભક્તિનગર સર્કલ પાસે આવેલ યામાહા શોરૂમની બાજુમાં શુભમ ટ્રાવેલ્સથી દરરોજ સાંજે ૫.૦૦ કલાકે ઉપડશે ત્યાર બાદ સમય શતાબ્દી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, રીજેન્ટા હોટેલ નીચે (જૂની આદર્શ હોટેલ), શક્તિ ચેમ્બર સામે, લાલપરથી સાંજે ૫.૩૦ કલાકે બસનો સમય રહશે.
આ ખાસ બસમાં લગેજ અને પાર્સલ બુકિંગ ફક્ત અને ફક્ત શુભમ ટ્રાવેલ્સ, ભક્તિનગર ઓફિસથી થશે જેમાં પાર્સલની ડિલિવરી બીજા જ દિવસે ઝડપથી પાર્ટીને મળી જશે અને બસનો રૂટ મોરબીથી અમદાવાદ, ઉદયપુર, નાથદ્વારા, ભીમ, બ્યાવાર થઈને અજમેર રહેશે અને ફોનથી ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રાખવામા આવી છે આ બસ મોરબીથી સાંજે ૫:૩૦ કલાકે નીકળશે અને ઉદયપુર સવારે ૪:૦૦ વાગ્યે, નાથદ્વારા સવારે ૫:૦૦ વાગ્યે અને અજમેર સવારે ૯:૩૦ વાગ્યે પહોંચશે
વધુમાં મુસાફરો માટેની સારી સુવિધાએ પણ છે કે આ બસ ડાયરેક્ટ છે અને કોઈ જગ્યાએ ક્રોસિંગ કે બીજી કોઈ અગવડ નથી અને બીજા દિવસે સવારે ૧૧:૩૦ પેહલા ગેરંટીથી પાર્સલ ડિલિવરી સુરક્ષિત રીતે મળી રહેશે જેથી કરીને મોરબીથી મુસાફરોને આવવા જવા માટે તેમજ કોઈને પાર્સલ મોકલાવવા હોય તો પણ આ બસ સેવા તેના માટે ખુબા જ ઉપયોગી રહેશે