મોરબીના જલારામ મંદિરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૫૬ દર્દીઓએ લાભ લીધો
મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત
SHARE
મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત
મોરબીના હીરાસરી માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગટર પર ઢાંકણું છે જ નહીં જેથી કરીને ગમે ત્યારે ત્યાં જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કલેક્ટરને આ મુદે લેખિત રજૂઆત કરી છે
મોરબીના રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પાસેથી અવની ચોક્ડી તરફ જવાના રસ્તે હીરાસરીનો માર્ગ આવેલ છે. જે નવો બનાવેલ છે જો કે, મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી નથી અને ગટર ખુલ્લી છે જેથી કરીને અકસ્માત થવાની શક્યતા છે અને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી તો પણ હજુ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને ગટરનું ઢકાણું મૂકવા માટે નગરપાલિકા કોઈ અસ્ક્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને ઢાંકણું તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે