મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત


SHARE











મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત

મોરબીના હીરાસરી માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગટર પર ઢાંકણું છે જ નહીં જેથી કરીને ગમે ત્યારે ત્યાં જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કલેક્ટરને આ મુદે લેખિત રજૂઆત કરી છે

મોરબીના રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પાસેથી અવની ચોક્ડી તરફ જવાના રસ્તે હીરાસરીનો માર્ગ આવેલ છે. જે નવો બનાવેલ છે જો કે, મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી નથી અને ગટર ખુલ્લી છે જેથી કરીને અકસ્માત થવાની શક્યતા છે અને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી તો પણ હજુ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને ગટરનું ઢકાણું મૂકવા માટે નગરપાલિકા કોઈ અસ્ક્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને ઢાંકણું તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News