મોરબીમાં વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડરે યજ્ઞ અને આર્થિક અનુદાન આપી જન્મ દિવસ ઉજવાયો
મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય
SHARE
મોરબીના રેલ્વે સ્ટેશન સુધી લાંબા અંતરની ટ્રેન નિયમિત ટ્રેન માટે સતત લડવું અનિવાર્ય
મોરબી રેલ્વે સ્ટેશને અઠવાડિક બે લાંબા અંતરની ટ્રેન (ભૂજ થી બાંદ્રા અને કામખ્યા જતી ૧-૧), આખા દિવસની ૮ ડેમુ જેમાંથી હાલ ૩ જાવક ૩ આવક (મોરબી-વાંકાનેર-મોરબી) એ પણ સૌરાષ્ટ્ર મેલને અનુકુળ નહી તે રીતે ચાલે છે પણ સ્ટેશન જૂઓ તો જમાવટ પાડી દે તેવું છે અને જનાવર પણ લઘુ શંકા કરવા આવતા વિચારે ત્યાં સ્કૂટર અને કાર પાર્કિંગએ પણ પેઈડ ! ની વ્યવસ્થા કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ રિઝર્વેશન બુકિંગ માટે માત્ર ૧ બારી ચાલુ છે જેથી કરીને તહેવારોના દિવસમાં મુસાફરોને ઘણું હેરાન થવું પડે છે
મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ઉદ્યોગકારોને આજની તારીખે તેને છેલ્લે કયારે ટ્રેનમા મુસાફરી કરી હતી તે યાદ કરવું પડે છે ! જો કે, દેશભરમાંથી વ્યાપારીઓ અને શ્રમિકો અમદાવાદ કે રાજકોટ ફ્લાઈટમા ન આવી શકે તેના માટે મોરબીના રેલ્વે સ્ટેશન સુધી ટ્રેન દોડાવવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, ભૂતકાળમા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ અને બે ત્રણ સમાજ સેવા કરતા લોકો મહેનત કરીને સાંસદ અને રેલ્વે મંત્રાલય પત્રો લખવામાં આવ્યા હતા તો પણ સુવિધામાં કોઈ વધારો થયેલ નથી જેથી કરીને અહીના મુસાફરોને વાંકાનેર કે રાજકોટ સુધી બસમા કે ખાનગી વાહનમા રાજકોટ જઈ ટ્રેન પકડવી પડે છે આટલું જ નહીં મોરબીના રાજપર રોડ ઉપર સ્ટેટના વખતમાં એરપોર્ટ હતું તેને નવું બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી વાતો કરવામાં આવી રહી છે જેનું કામ હજુ સુધી દીવાલથી આગળ વધ્યું નથી ત્યારે આ એરપોર્ટ શરૂ કયારે થશે તે સૌથી મોટો સવાલ છે ત્યારે અહીના આગેવાનો, નેતા અને સ્થાનિક લોકોને સમયસર જાગવું પડશે અને સતત સરકારમાં માંગણી કરતાં રહેવું પડશે અને ખાસ કરીને લાગતા વળગતાને રજૂઆતો કરવી પડશે તો જ મોરબીને લાંબા અંતરની ટ્રેન મળે તેવી શક્યતા છે