મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1600 લિટર આથા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાં તો વ્યાજના ધંધા બંધ કરો, નહીં તો ગામ છોડી દો કેમ કે હવે પોલીસ તમને છોડશે નહીંઃ અશોક યાદવ


SHARE











મોરબી જીલ્લામાં કાં તો વ્યાજના ધંધા બંધ કરો, નહીં તો ગામ છોડી દો કેમ કે હવે પોલીસ તમને છોડશે નહીંઃ અશોક યાદવ

રાજ્યના ગૃહવિભાગ દ્વારા વ્યાજખોરોની સામે પગલે લાવે માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાને વ્યાજખોર મુક્ત કરવા માટે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજીની હાજરીમાં જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના ત્રણ ધારાસભ્યો તેમજ ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજના ધંધા કરનારાઓને કાં તો ધંધા બંધ કરો અથવા તો ગામ છોડી દો તેઓ પોલીસ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વ્યાજખોર સામે ધડોધડ ફરિયાદો લેવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે ત્યારે દરમ્યાન આજે મોરબી સીટી એ ડિવિઝન સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોકો નિર્ભય બની ફરિયાદ કરી શકે તે માટે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધ્રાંગધ્રા હળવદ બેઠકના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તે ઉપરાંત વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે વ્યાજખોરોના ત્રાસથી પોતાની મિલકતો ગુમાવનારા લોકોએ રડતી આંખોએ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને વ્યાજખોરના ચંગુલમાંથી છોડવા માટે કહ્યું હતું જેથી મોરબીના એસ.પી રાહુલ ત્રિપાઠી તથા રેન્જના આઈજી અશોક યાદવે વ્યાજ ના ધંધા કરનારાઓને સાનમાં સમજી જવાનું માટે ઈશારો આપતા કહ્યું હતું કે કાં તો વ્યાજના ધંધા બંધ કરો અને નહીં તો ગામ છોડી દો કેમ કે ફરીયાદ આવશે એટલે પોલીસ તમને છોડશે નહીં આ તકે કાંતિભાઈ અમૃતિયાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજકારણી, ગુંડા અને અધિકારી સાથે બેસી જાય તો ગામની ડિઝાઈન બદલી જાય છે તે આપણે છેલ્લા વર્ષોમાં જોયું છે જો કે હવે તે બધું જ સુધારવાનું છે અને અધિકારીઓ સારી રીતે કામ કરશે અને લોકોને વ્યાજખોરોના ત્રાસ માંથી છોડાવશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી






Latest News