મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ ટંકારા ખાતે યોજાયો


SHARE













મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ ટંકારા ખાતે યોજાયો 

જીસીઇઆરટી-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત બે દિવસીય મોરબી જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ આર્ય વિદ્યાલયમ્ શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કુલ ૫૧ જેટલા શિક્ષકોએ પોતાના વર્ગ શિક્ષણ કાર્યની સમસ્યા જેવી કે શાળામાં વિદ્યાર્થીની હાજરી, શિક્ષણની ગુણવત્તા, મૂલ્ય શિક્ષણ, શિક્ષણમાં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી, સામાજિક જાગૃતિ વગેરે વિષયો પર સુધારો લાવવા કરેલ નાવિન્ય પૂર્ણ ઇનોવેશનો રજૂ કર્યા હતા આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષકોના નવતર પ્રયોગને પ્રોત્સાહન આપવા માટે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, આર્ય વિદ્યાલયમના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા સાથે વિવિધ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અને બી.આર.સી. કો. ઓર્ડીનેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  આ ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લેનાર તમામ ઇનોવેટીવ શિક્ષકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને આર્ય સમાજ ટંકારા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર પુસ્તક રૂપે અર્પણ કરવામાં આવ્યું હતું.આ ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ. સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા ઇનોવેશન ફેસ્ટિવલ ડી.આઈ.સી. ડૉ. ગંગાબેન વાઘેલા, ડાયેટ રાજકોટ પરિવાર, આર્ય વિદ્યાલયમ્ શાળા પરિવાર, બી. આર.સી. ટંકારા પરિવાર, મોરબી જિલ્લા ઇનોવેશન કે.આર.પી. જીતેન્દ્ર પાંચોટિયા અને આર.પી. અનિલ બદ્રકીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News