મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો
SHARE
મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ જાદુગરનો શો યોજાયો
મોરબીની માધાપરવાડી શાળા વિદ્યાર્થીઓ માટે અવનવી પ્રવૃત્તિ કરવા માટે જાણીતી છે ત્યારે મોરબીમાં કામધેનુ રિસોર્ટ પાસેના ગ્રાઉન્ડમાં જાદુગર વી.કે. ના શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ કહી શકાય એવા જાદુગર વી.કે. એ જાદુના ખેલ બાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા અને આ કાર્યક્રમમાં શાળાની ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ આવી હતી અને જાદુનો ખેલ નિહાળી મનોરંજન મેળવ્યું હતું અને વી.કે સાથે દેશભક્તિના ગીતો સાથે ડાન્સની પણ મજા માણી હતી. આવી રીતે જો કોઈ શાળા શો જોવા માંગતી હોય તો તેમણે ૯૦૯૯૯ ૧૦૧૭૦૦ ઉપર સંપર્ક કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યુ છે અને બાળાઓને જાદુગરનો શો બતાવવા શાળાના અલકાબેન કોરવાડિયા, નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, દયાળજીભાઈ બાવરવા, જયેશભાઇ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા, નિલમબેન ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.