મોરબીના મારુતિ પાર્કમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિએ કર્યો આપઘાત
SHARE
મોરબીના મારુતિ પાર્કમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિએ કર્યો આપઘાત
મોરબી શહેરમાં આવેલ મારુતિ પાર્ક વિસ્તારની અંદર રહેતા દંપતીને કોઈ બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવાને પોતાના ઘરની અંદર પંખા સાથે સ્વેટર વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં આવેલ મારુતિ પાર્ક વિસ્તારની અંદર રહેતા આકાશભાઈ હસમુખભાઈ આંજણકા (28) ને તેના પત્ની મનીષાબેન આકાશભાઈ આંજણકા સાથે ઘરે હતા ત્યારે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આકાશભાઇને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર પંખા સાથે સ્વેટર વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પતિ મનીષાબેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ત્રણ બોટલ દારૂ
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામના ઝાપા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1125 ની કિંમતની દારૂની બોટલો તથા 5000 રૂપિયાની કિંમત એક મોબાઈલ આમ કુલ મળીને 6125 ના મુદ્દામાલ સાથે રોનકભાઈ હિતેશભાઈ ગોસ્વામી જાતે બાબાજી (ઉંમર વર્ષ 19) રહે વેજલપર વાળાની ધરપકડ કરેલ છે