માળીયા-હળવદ હાઇવે ઉપર સુસવાવ પાસે અકસ્માત સર્જીને બે વ્યક્તિના મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના ચંદ્રપુરમાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત
SHARE
વાંકાનેરના ચંદ્રપુરમાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત
વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુરમાં વણકરવાસ ખાતે રહેતા યુવાનને બે દિવસથી તાવ આવતો હતો જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર વણકરવાસમાં રહેતા પ્રવીણભાઈ માવજીભાઇ મકવાણા (ઉંમર ૩૧) ને છેલ્લા બે દિવસથી તાવ હતો જેથી કરીને તેની પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી પાસે હનુમાન મંદિર નજીકથી મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ચંદુભાઈ બાબાભાઈ ભારુકિયા (ઉંમર ૫૩) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ચંદુભાઈને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બાઇક સ્લીપ
મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી નગર પાસે આવેલ બાપા સીતારામની મઢુલી પાસેથી આસુરામ પટેલ (ઉંમર ૨૧) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઈજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









