હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો


SHARE







મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો

મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી ૧૧ જગ્યાઓએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા હતા.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં ૧૧ જેટલા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છેકે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરવામાં આવેલ જેમાં એક હજારથી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.આગામી ૪ અને ૫ ફેબ્રુઆરીનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી ૧૨ કે તેથી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ"નું આયોજન કરેલ છે.૨૦૨૩ માં ૧૫૦ થી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ" ના આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કરેલ છે.






Latest News