મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો
SHARE
મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો
મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી ૧૧ જગ્યાઓએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા હતા.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં ૧૧ જેટલા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છેકે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરવામાં આવેલ જેમાં એક હજારથી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.આગામી ૪ અને ૫ ફેબ્રુઆરીનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી ૧૨ કે તેથી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ"નું આયોજન કરેલ છે.૨૦૨૩ માં ૧૫૦ થી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ" ના આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કરેલ છે.