હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા ૨૪ જાન્યુઆરીએ મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકરની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે


SHARE







મોરબી એબીવીપી દ્વારા ૨૪ જાન્યુઆરીએ મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકરની ઉપસ્થિતિમાં સંમેલન યોજાશે

મોરબી એબીપી દ્વારા આગામી તા.૨૪ મી જાન્યુઆરીના રોજ 'છાત્ર હુંકાર' સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે તેમજ સંમેલન બાદ શોભાયાત્રાનું પણ આયોજન એબીવીપી દ્વારા કરવામાં આવેલ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જીલ્લા સંમેલન 'છાત્ર હુંકાર 'યોજવા જઈ રહ્યું છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.૧૨ જાન્યુઆરી એટલે સ્વામીવિવેકાનંદ જન્મજયંતી રાષ્ટ્રીય યુવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એબીવીપી મોરબી દ્વારા તા.૨૪ જાન્યુઆરીના રોજ મોટી સંખ્યામાં જીલ્લા સંમેલન 'છાત્ર હુંકાર'નું આયોજન કરવામાં આવ્યું છે જે સંસ્કાર બ્લડબેંક ખાતે યૌજાવા જઈ રહ્યું છે.જેમાં જીલ્લાભરમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહેવાના છે અને જેમાં જીલ્લા સંમેલન અંતગર્ત મોરબી જીલ્લાના વિવિઘ શેક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો ધ્યાને લઇને ABVP મોરબી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવશે.સંમેલનના મુખ્ય વક્તા તરીકે લેખક, મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે.સંમેલન બાદ શોભાયાત્રા નીકળશે અને જેમાં એબીવીપીના પ્રદેશ પદાધિકારી સહિત કાર્યકર્તાઓહાજર રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News