ઝુલતા પુલની ઘટના બાદ મોરબી પાલિકામાં આજે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં ઐતિહાસિક ઘટના બને તેવા સંકેત
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ તેમજ વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ તેમજ વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં ૨૦૨ મોરબી ખાતે આગામી ૩૦ મી જાન્યુઆરી મહાત્મા ગાંધી પુણ્યતિથિ શહીદ દીન (વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ )સ્વચ્છ ભારત અભિયાન નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું છે મહાત્મા ગાંધીનું સ્વપ્ન "સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત" એ જ સાચી શ્રધ્ધાંજલી છે જેમા કેટેગરી મુજબ સ્લોગન અને સ્લોગન અનુરુપ ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરેલ છે.આ સ્પર્ધામાં ભાગ લેવાં માટે સ્પર્ધકોએ પોતાને અનુકુળ સમય લખીને મોકલી આપવાનો રહેશે. સ્પર્ધા તા.૩૦-૧ ના સવારે ૧૦ થી સાંજના ૪ સુધી યોજાશે. સ્પર્ધકોએ એક કલાકની મર્યાદામાં ભાગ લેવાનો રહેશે."આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી ખાતે સ્પર્ધા યોજાશે.
સ્પર્ધામાં કુલ ચાર કેટેગીરી રાખવા માં આવી છે અને તમામે કેટેગરીનાં સ્પર્ધકોએ "સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત" વિષયને અનુરુપ એટલે કે સ્વચ્છતાં અંગે ચિત્ર દોરવાના છે આ સ્પર્ધા માટે જરૂરી ડ્રોઈંગ સીટ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર તરફથી આપવામાં આવશે. સ્પર્ધકોએ કલર, પેન્સીલ રબ્બર જાતે સાથે લાવવાનું રહેશે આ સ્પર્ધાનાં દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અને કેટેગરી મુજબ શ્રેષ્ઠ ચિત્ર માટે પ્રમાણપત્ર સાથે સિલ્ડ આપવાંમાં આવશે.બહાર ગામનાં સ્પર્ધકોને નિયમાનુસાર એસ. ટી.બસ ભાડુ મળવાપાત્ર છે તે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ચુકવશે. સ્પર્ધામાં ભાગ લેવા અને યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ નામ, ધોરણ, વ્યવસાય, સ્કૂલ, ગામ તથા અનુકુળ સમય લખી તા.૨૮-૧ રાત્રીના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ +મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક નંબર ઉપર જ મોકલી આપવાના રહેશે.