મોરબીમાં બીઓબી દ્વારા ગ્રાહકો-લોકો માટે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે
SHARE
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે
આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં ૪૧ લાખથી પણ વધુ મતો મળ્યા છે અને કુલ મળીને પાંચ ધારાસભ્ય સાથે રાજકીય પાર્ટી ગુજરાતમાં આવી છે ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રજા દ્વારા આમ આદમી પાર્ટીને જે સહયોગ આપવામાં આવેલ છે તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જનહિતની લડાઈ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લાના હોદ્દેદારોની એક અગત્યની મીટીંગ સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ક્ચ્છ-મોરબી ઝોન પ્રભારી કૈલાશદાન ગઢવી હાજર રહ્યા હતા અને મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા, ટંકારા-પડધરી ઉમેદવાર સંજય ભટાસણા સહિત જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેલ હતા ત્યારે લોકોના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, જુલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવાનું સર્વાનુમતે નક્કી કરાયેલ જે માટે ટૂંક જ સમયની અંદર જિલ્લાની નવી બોડી રચના પણ કરવામાં આવશે









