ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

મોરબી ખાતે  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વકતવ્યો દ્વારા મતદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા નાટિકા તેમજ વકતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યાલયની પલક પીપળીયાએ ‘લોકશાહીનું બળ જનતા’ વિષય પર વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહીનું સાચું બળ આપણે સૌ છીએ. ચૂંટણીને ઘરનો પ્રસંગ સમજીને તેમાં સહભાગી થવાની વાત પણ તેણે કરી હતી. લોકશાહીના ઉદભવથી લઈને તેના મહત્વની પણ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જનતા થકી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. વધુમાં તેણે મતદારોને લોકશાહીના હૃદય સમાં ગણાવ્યા હતા. આમ લોકોને લોકશાહી તેમજ મતદાનના મહત્વ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા






Latest News