મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

મોરબી ખાતે  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વકતવ્યો દ્વારા મતદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા નાટિકા તેમજ વકતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. સાર્થક વિદ્યાલયની પલક પીપળીયાએ ‘લોકશાહીનું બળ જનતા’ વિષય પર વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહીનું સાચું બળ આપણે સૌ છીએ. ચૂંટણીને ઘરનો પ્રસંગ સમજીને તેમાં સહભાગી થવાની વાત પણ તેણે કરી હતી. લોકશાહીના ઉદભવથી લઈને તેના મહત્વની પણ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, જનતા થકી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. વધુમાં તેણે મતદારોને લોકશાહીના હૃદય સમાં ગણાવ્યા હતા. આમ લોકોને લોકશાહી તેમજ મતદાનના મહત્વ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા






Latest News