મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ


SHARE











મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ

બાગાયતી યોજનાઓના પ્રચાર- પ્રસાર તથા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં પણ માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેમની ઉપયોગીતા તેમજ વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની  મિશન મધમાખી, કોમ્પ્રીહેનસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ આ આ ખેડૂત શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News