મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ


SHARE











મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ

બાગાયતી યોજનાઓના પ્રચાર- પ્રસાર તથા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં પણ માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેમની ઉપયોગીતા તેમજ વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની  મિશન મધમાખી, કોમ્પ્રીહેનસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ આ આ ખેડૂત શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News