મોરબીના દેશ-પર્યાવરણ પ્રેમી બંધુઓ દ્વારા ભુકંપના દીવગંતોના શ્રધ્ધાંજલી અર્પણ
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ.ના કેમ્પસમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
SHARE
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ.ના કેમ્પસમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
પ્રજાસત્તાક પર્વની મોરબીમાં સર્વાધિક કેમ્પસ ધરાવતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને સરકારના નિવેદન અનુસાર જેતે શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરીને ઉચ્ચ કારકિર્દીને વરેલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ દિકરીના હાથે ધ્વજવંદન કરાવવું એ વિચારને અમલમાં મુકતા નવયુગમાંથી અભ્યાસ કરેલા ભૂતપૂર્વ સ્ટુડન્ટ ડૉ. જીજ્ઞાશા પારેજીયા અને ડૉ. તૃપ્તિ સાવરીયાના હાથે નવયુગ શૈક્ષણિક સંકુલ અને નવયુગ વિદ્યાલયમાં ધ્વજવંદન કરાવ્યું હતું. આ સાથે ડૉ. મેહુલ પનારાની પણ અતિથિ વિશેષ તરીકે હાજરી હતી. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ અને મેનેજીંગ ટ્રસ્ટી બી. એસ. સરસાવાડીયાની ઉપસ્થિતિમાં યોજાયો. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં એનસીસિની જુનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ બટાલિયનના કેડેટએ પરેડ કરીને ધ્વજને સલામી આપી હતી. આ સાથે પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ દેશભકિતથી ભરપુર પોતાના વિચારો રજુ કર્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા વિવિધ વિભાગના પ્રિન્સિપાલઓ, શિક્ષકો, અદ્યાપકો, વ્યાયામ શિક્ષકો, એનસીસિના એએનઓએ જહેમત ઉઠાવી હતી.









