મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન


SHARE











મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન

મોરબીના સામાકાંઠ વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તા ૧૦ ને શુકવારથી તા.૧૮ ને મહા શિવરાત્રી સુધી શિવ મહાપુરણનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ બપોરના બે થી છ વાગ્યા દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિરે ભક્ત મંડળ દ્વારા શિવ મહાપુરણ કથામાં જુદાજુદા પ્રસંગોને ઉજવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા અને કથાકાર રતનેશ્વરીબેન તેની આગામી શૈલીમાં શ્રોતાઓને શિવકથાનું રસપાન કરાવશે. અને શિવ કથામાં કથાનું મહાત્મ્ય, શિવલિંગનું પ્રાગટય, સતી પ્રાગટય, દીપનો મહિમા, શિવ શક્તિ વિવાહ, ગણપતિનું પ્રાગટય, રુદ્રાક્ષ અને બીલીપત્રનો મહિમા અને જ્યોતિલિંગનો મહિમા શ્રોતાઓને સંભળાવવામાં આવશે અને તા ૧૮ ના રોજ બપોરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે






Latest News