મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે
મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન
SHARE
મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન
મોરબીના સામાકાંઠ વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તા ૧૦ ને શુકવારથી તા.૧૮ ને મહા શિવરાત્રી સુધી શિવ મહાપુરણનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ બપોરના બે થી છ વાગ્યા દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિરે ભક્ત મંડળ દ્વારા શિવ મહાપુરણ કથામાં જુદાજુદા પ્રસંગોને ઉજવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા અને કથાકાર રતનેશ્વરીબેન તેની આગામી શૈલીમાં શ્રોતાઓને શિવકથાનું રસપાન કરાવશે. અને શિવ કથામાં કથાનું મહાત્મ્ય, શિવલિંગનું પ્રાગટય, સતી પ્રાગટય, દીપનો મહિમા, શિવ શક્તિ વિવાહ, ગણપતિનું પ્રાગટય, રુદ્રાક્ષ અને બીલીપત્રનો મહિમા અને જ્યોતિલિંગનો મહિમા શ્રોતાઓને સંભળાવવામાં આવશે અને તા ૧૮ ના રોજ બપોરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે









