મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન


SHARE











મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણનું આયોજન

મોરબીના સામાકાંઠ વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તા ૧૦ ને શુકવારથી તા.૧૮ ને મહા શિવરાત્રી સુધી શિવ મહાપુરણનું આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ બપોરના બે થી છ વાગ્યા દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિરે ભક્ત મંડળ દ્વારા શિવ મહાપુરણ કથામાં જુદાજુદા પ્રસંગોને ઉજવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા અને કથાકાર રતનેશ્વરીબેન તેની આગામી શૈલીમાં શ્રોતાઓને શિવકથાનું રસપાન કરાવશે. અને શિવ કથામાં કથાનું મહાત્મ્ય, શિવલિંગનું પ્રાગટય, સતી પ્રાગટય, દીપનો મહિમા, શિવ શક્તિ વિવાહ, ગણપતિનું પ્રાગટય, રુદ્રાક્ષ અને બીલીપત્રનો મહિમા અને જ્યોતિલિંગનો મહિમા શ્રોતાઓને સંભળાવવામાં આવશે અને તા ૧૮ ના રોજ બપોરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે ત્યારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે






Latest News