મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે
મોરબીમાં પાલિકાની પાછળના ભાગમાં આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં આગામી રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ચાર વાગ્યેથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે
મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા ચલાવવામાં આવે છે અને તે હાલમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે ચાલુ છે ત્યાં સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે તેની સાથે તે બાળકો પગભર થઈ શકે તેના માટેનું કામ કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભક્તિના જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને આ તકે દિવ્યાંગ બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે અને કાર્યક્ર્મ જોવા આવવા માટે આયોજકો તેમજ ટ્રસ્ટી મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવાએ લોકોને આમંત્રણ આપેલ છે









