મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં


SHARE











ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની માતા તેને જોઈ જતા તેણે તાત્કાલિક તેને બચાવી લીધી હતી અને યુવતીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકાર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આંગણવાડી પાસે રહેતા પુરુષોત્તમભાઈ ચાવડાની દીકરી નિશાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારે તેને તેની માતા જોઈ જતા તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવીને દીકરીને નીચે ઉતારીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોના ફિલ્ડ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજદેવ ચંદ્રબલી જેસવાલ (૫૦) નામના આધેડ કારખાનામાં હતા ત્યારે ત્યાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News