મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં


SHARE











ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની માતા તેને જોઈ જતા તેણે તાત્કાલિક તેને બચાવી લીધી હતી અને યુવતીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકાર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આંગણવાડી પાસે રહેતા પુરુષોત્તમભાઈ ચાવડાની દીકરી નિશાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારે તેને તેની માતા જોઈ જતા તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવીને દીકરીને નીચે ઉતારીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોના ફિલ્ડ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજદેવ ચંદ્રબલી જેસવાલ (૫૦) નામના આધેડ કારખાનામાં હતા ત્યારે ત્યાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News