ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં


SHARE













ટંકારાના લજાઈ ગામે બીમારીથી કંટાળીને યુવતીએ ન ભરવાનું પગલું ભરી લેતા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની માતા તેને જોઈ જતા તેણે તાત્કાલિક તેને બચાવી લીધી હતી અને યુવતીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકાર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે આંગણવાડી પાસે રહેતા પુરુષોત્તમભાઈ ચાવડાની દીકરી નિશાબેન (૧૯) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યારે તેને તેની માતા જોઈ જતા તાત્કાલિક આજુબાજુના લોકોને બોલાવીને દીકરીને નીચે ઉતારીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ બનાવની આગળની તપાસ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.બી.સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવતીએ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોના ફિલ્ડ નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજદેવ ચંદ્રબલી જેસવાલ (૫૦) નામના આધેડ કારખાનામાં હતા ત્યારે ત્યાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News