મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે બનાવમાં એસિડ પી ગયેલ યુવતી અને વૃદ્ધા સારવારમાં


SHARE





મોરબીમાં બે જુદાજુદા બનાવમાં એક યુવતી અને એક વૃદ્ધા એસિડ પી ગયા હતા જેથી બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.


મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જયંતીભાઈ મકનભાઈ ઘોડાસરા જાતે પટેલની ૨૦ વર્ષની પુત્રી સપનાબેન તેના ઘેર એસિડ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા આ અંગે નોંધ કરી તપાસ ચલાવવામાં આવતા ભોગ બનેલ સપનાબેને પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે મોઢેથી એસિડની બોટલ ખોલવા જતા એસિડ મોં માં ચાલ્યું ગયું હતું જેથી અસર થતા તેમને સારવાર માટે દવાખાને લવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ ગામે રહેતા લાભુબેન હરિભાઈ કનોજીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધા એસિડ પી ગયા હોય તેમને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર માટે એડમિટ કરાયા હતા.બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવતા ખુલ્યું હતું કે લાભુબેનને માનસિક બીમારી રહેતી હોય અને બીમારીથી કંટાળી જઈને તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી હળવદ તાલુકાના પીપરવાડી ગામે રહેતા ચંદુભાઈ કાનજીભાઈ મોરડીયા (૫૨) પોતાનું બાઈક લઈને પસાર થતા હતા ત્યારે મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા શ્રવણભાઈ જેરામભાઈ કંજારીયા (૩૫) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વધુ માહિતી પ્રમાણે યુવાનને તેના ઘરે થયેલ મારામારીના બનાવવામાં ઇજા થયેલ છે જેથી કરીને તેને સારવારમાં કાઈને આવ્યા છે.




Latest News