મોરબીના સોમનાથ પેપર મિલના સેન્સર ગેઇટમાં દબાઈ જતા ઇજા પામેલ બાળકીને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજી મુકાઇ : કાલે સુનાવણી
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા સાત આરોપીઓની જામીન અરજી મુકાઇ : કાલે સુનાવણી
મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જેની સામે મોરબીની કોર્ટમાં ચાર્જ સીટ પણ મુકાઈ ગયું છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપી પૈકીના સાત આરોપીઓ દ્વારા મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને વકીલ મારફતે અરજી કરેલ છે જેની આવતીકાલે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સો નવન હાથ ધરવામાં આવશે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવડીયા દ્વારા ફરિયાદી નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પછી બે કલમનો ઉમેરો પણ તેમાં કરવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭)ની ધરપકડ કરેલ હતી જેની સામે નું ચાર્જ સીટ મોરબીની કોર્ટમાં મુકાઈ ગઈ છે ત્યારબાદ અગાઉ પકડાયેલા નવ આરોપીઓમાંથી સાત આરોપીઓ દ્વારા મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાંથી જામીન મેળવવા માટે થઈને તેના વકીલ મારફતે જામીન અરજી મુકવામાં આવેલ છે જેની આવતીકાલે મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં સુનાવણી હાથ ધરવા આવશે વધુમાં સુત્રોના કહેવા મુજબ હાલમાં આરોપીઓ દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ અને મુકેશભાઈ ચૌહાણના જામીન માટે અરજી મુકાયેલ છે.