મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૦ વર્ષ પહેલાં કરેલ ચેંન સ્નેચીંગના બે ગુનામાં ફરાર આરોપી મહિલાને રાજકોટ ખાતેથી એલસીબીએ પકડી પાડી


SHARE











મોરબીમાં ૨૦ વર્ષ પહેલાં કરેલ ચેંન સ્નેચીંગના બે ગુનામાં ફરાર આરોપી મહિલાને રાજકોટ ખાતેથી એલસીબીએ પકડી પાડી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચોરી (ચેંન સ્નેચીંગના) ના અલગ અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતી ફરતી આરોપી મહીલાને રાજકોટ સીટી ખાતેથી મોરબી એલ.સી.બી તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડેલ છે.

મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને સુચના આપેલ હોય જે અન્વયે પીએસઆઇ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ મથકે વર્ષ ૨૦૦૩ માં નોંધાયેલ ચોરીના બે ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાશતી ફરતી આરોપી મહિલા નીરૂબેન ચકુભાઇ મોહનભાઇ દેવીપુજક રહે.રાજકોટ કોઠારીયા રોડ હુડકો કવાટર પાછળ દિપ્તીનગર શેરી નં.૧ વાળી હાલે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ માં નીકીતાબેન નામથી રહે છે તેથી ઉપરોકત સ્ટાફ તથા મહીલા પોલીસ ફુલીબેન તરાર સાથે હકીકતવાળી જગ્યાએ વેરીફાઇ કરતા ઉપરોકત ગુન્હાના કામે નાસતી ફરતી આરોપી મહીલા નીરૂબેન ઉર્ફે નીકીતાબેન ચકુભાઇ મોહનભાઇ સોલંકી દેવીપૂજક (ઉ.વ.૩૯) રહે.રાજકોટ લક્ષ્મીવાડી મેઇન રોડ ગોવિંદપરા-૧ સંતોષી માતાજીના મંદીર સામે વાળીને પકડીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવભાઈ સોનગ્રાને આ કેસની આગળની તપાસ સોંપવામાં આવેલી હોય તેઓ પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૦૩ માં ગીર્દી અને ભીડ વાળી જગ્યાનો લાભ લઈને કુલ ચાર લોકો કે જેઓ રાજકોટના છે તેઓ મોરબી આવતા હતા અને મોરબી આવીને જેતે સમયે એટલે કે ગત તા.૨૧-૪-૨૦૦૩ અને તા.૨૪-૪-૨૦૦૩ એમ બે વખત ચેન સ્નેચીંગ કરીને ચોરીની ઘટનાને અંજામ આપેલ.જેમાં અગાઉ ત્રણ શખ્સો પકડાઈ ચૂક્યા છે અને હાલમાં પકડાય નીરૂબેન સોલંકી કે જે છેલ્લા ૨૦ વર્ષથી ઉપરોક્ત બંને ચોરીના ગુનામાં ફરાર હતા જેની મોરબી એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે પકડી પાડીને ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News