માળીયા (મી)ના બગસરા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
મોરબીમાં માતાના સ્મર્ણાર્થે બે દિવસમાં ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાશે
SHARE
મોરબીમાં માતાના સ્મર્ણાર્થે બે દિવસમાં ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજાશે
મોરબીના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં તા.૪ અને ૫ ફેબ્રુઆરી દરમિયાન કુલ મળીને ૧૨ સુવર્ણ પ્રાસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નિમા-મોરબી દ્વારા શનિ અને રવિવારે બે દિવસમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી જગ્યાએ ૧૨ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને પુષ્ય નક્ષત્ર તા.૪ શનિવારનાં આખો દિવસ છે તથા તા.૫ નાં બપોરે ૧૨ વાગ્યા સુધી શ્રેષ્ઠ એવો "રવિપુષ્યામૃત યોગ" બને છે. જે નિમિતે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર જેસ્વાણી અને નિમા-મોરબીના પ્રમુખ ડૉ.હાર્દિક જેસ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી) દ્વારા મહત્તમ સંખ્યામાં આ કેમ્પસનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવે છે.