મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટું પાસે કેનાલમાંથી મૃત હાલતમાં મળેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ


SHARE











મોરબીના ઘુંટું પાસે કેનાલમાંથી મૃત હાલતમાં મળેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ

મોરબી તાલુકા ઘુંટું ગામની સીમમા નર્મદા કેનાલ પાણીના ગેટ પાસેથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને પોલીસે લાશનું ફોરેન્સિક પીએમ કરાવેલ છે જો કે, હજુ સુધી મૃતક યુવાનની ઓળખ મળી નથી જેથી કરીને મૃતક યુવાનની લાશને હાલમાં રાજકોટ હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં રાખવામા આવેલ છે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અ.મોત નં-૧૬/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ કામના મરણ જનાર એક અજાણ્યો પુરૂષ જેની આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમર છે તે તા.૦૧/૦૨/૨૦૨૩ ના ૧૨:૫૫ વાગ્યા પહેલા કોઇ વખતે મોરબી તાલુકા ઘુંટું ગામની સીમમા નર્મદા કેનાલ પાણીની ગેટ નં-૧૦૭ મા પાણીમાથી લાશ કોહવાયેલી તરતી મળી આવેલ છે જેથી મરણ જનારની લાશનુ પોસ્ટ મોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામા આવેલ છે અને મૃતક યુવાનને છાતીના ભાગે ગુજરાતી ભાષામા સંજય, ઓમ તથા ત્રિશુલ ત્રોફાવેલ છે તથા જમણા હાથના બાવળમા દિલમાં S (એસ) ત્રોફાવેલ છે તથા શરીરે લાલ કલરનુ કલરનુ ટીશર્ટ જેના પાછળ J RANA (જે.રાણા) લખેલ છે અને મરૂન ઘાટો ડાર્ક કલરનુ પેન્ટ પહેરલ છે. હાલમાં લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને તેની ઓળખ સારૂ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં લાશને રાખવામાં આવેલ છે જે અજાણી લાશની બાબતે જો કોઈપણ માહીતી હોય તો જસપાલસિંહ એમ.જાડેજા (૯૯૨૫૪ ૨૮૦૭૦) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૫૯૨ ઉપર જાણ કરવા માટે તપાસ અધીકારી જે.એમ. જાડેજાએ જણાવ્યુ છે






Latest News