મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના કેસમાં પકડાયેલા જયસુખભાઈ પટેલને સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનું સમર્થન


SHARE















મોરબીમાં ઝૂલતા પુલના કેસમાં પકડાયેલા જયસુખભાઈ પટેલને સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનું સમર્થન

મોરબીમાં ઝૂલતા પુલના કેસમાં આરોપી જયસુખભાઈ પટેલની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવામાં આવેલ છે જેથી તેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેના સમર્થનમાં પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરવામાં આવી હતી ત્યાર બાદ હવે જુદીજુદી સંસ્થાઓ દ્વારા જયસુખભાઈ પટેલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી તૂટી પડ્યો તે ઘટના દુખદ હતી કેમ કે, તેમાં ૧૩૫ લોકોના મોત થયા છે અને આ ઘટનામાં મુદે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી જયસુખભાઈ પટેલની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી જયસુખભાઇ પટેલના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરવામાં આવી રહી છે અને હવે જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેમજ ઉદ્યોગપતિઓ સહિતનાઓ દ્વારા જયસુખભાઈ પટેલને ખુલ્લુ સમર્થન આપવામાં આવી રહ્યું છે

સીદસર ઉમિયા માતાજી ટ્રસ્ટ દ્વારા એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લખ્યું છે કે, મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માતએ દુઃખદ દુર્ઘટના છે તેનું સહુને દુઃખ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે. તેઓએ સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ-તળાવ નિર્માણ, કૂવા-બોર રીચાર્જ, શિક્ષણ-આરોગ્ય – સામાજિક સેવાકાર્યો વિગેરેમાં અગ્રેસર દાતા છે. વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ છે. અગ્રણી ઉદ્યોગપતિની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરિવાર તેમની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં અગ્રેસર છે. સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહી તેને પોતાની ફરજ સમજી સ્વીકારવાનો અને તેને ખંતથી નિભાવવાનો સ્વભાવ ધરાવતા જયસુખભાઈ મોરબીની ધરોહરને જાળવવા સામાજિક ફરજના ભાગરૂપે જુલતા પુલનું સંચાલન સંભાળેલ. ૧૦-૧૫ રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પુલના રીપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોય ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી.

તો મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો જે લેટર વાઇરલ છે તેમાં લખ્યું છે કે, જે વ્યકતી સમાજમાં કોઈપણ ધર્મ કે જ્ઞાતી જોયા વગર ફકત સામાજીક હીતો માટે રોજગારીની તકો પુરી પાડતા હોય, સમુહ લગ્ન જેવા દરેક સમાજે બીરદાવા જેવા ઉમદા કાર્યો કરતા હોય, કન્યા શિક્ષણ માટે ડોનેશન આપતા હોય તેવા જયસુખભાઈએ મોરબીની અસ્મીતા સાચવવા ઝુલતાપુલની જવાબદારી સંભાળી હતી અને તેમનો કોઈનુ નુકસાન કરવાનો કે પૈસા કમાવવાનો કોઈ ઈરાદો ન હતો. જો કે, તા. ૩૦ ઓકટોબરે ઝુલતાપુલની જે ઘટના બની તે દુઃખદ છે. આ ઘટના જાણીજોઈને કે ઈરાદાપુર્વક બનેલી ઘટના નથી ત્યારે સમાજમાં આ પ્રકારના કામો કરતા હોઈ તે તમામ માટે આપણે સહુ સહાનુભુતી નહીં બતાવીએ, સાથે નહી ઉભા રહીએ તો સમાજ માટે સારા કામ કરતા સમાજસેવીઓ સમાજના કામો માટે આગળ આવશે નહીં.આપણે સહુ જયસુખભાઈ માટે પ્રાથના કરીએ કે તેઓ આ આપત્તીમાથી ઝડપથી બહાર આવે.

મોરબી રાજપૂત સમાજનો જે લેટર પેડ છે તેમાં લખ્યું છે કે, હાલમાં જે સોશ્યલ મિડીયા પર જયસુખભાઈ પટેલ વિરૂધ્ધ જેમ તેમ સ્ટેટમેન્ટ મુકાય છે તે જરા પણ વ્યાજબી ન કહેવાય. કેમ કે, જે વ્યકતિ એ કોઈપણ સ્વાર્થ કે ઘર્મ કે જ્ઞાતિ જોયા વગર સમાજીક હીત માટે રોજગારી પુરી પાડી છે તેમજ ઘણા બધા સામાજીક કાર્યો કરેલ છે. તેમણે મોરબીની અસ્મીતા માટે ઝુલતા પુલની જવાબદારી લીધી હતી કોઇને નુક્શાન કરવા કે પૈસા કમાવા માટે નહીં જો કે, તા. ૩૦ ઓકટોબર ના રોજ જે ઘટના બની તે ખુબ જ દુઃખદ ઘટના હતી અને હાલમાં કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે ત્યારે બીજી કોઈ ટીપણી ન કરવી જોઈએ અને ન્યાય તંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ






Latest News