હળવદના મિયાણી નજીક કેનાલમાં પાણી પીવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
વાંકાનેર નજીક કારખાનાની ઓરડીમાં શ્રમિકે અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
વાંકાનેર નજીક કારખાનાની ઓરડીમાં શ્રમિકે અંતિમ પગલું ભરી લેતા મોત
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા પાસે સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની ઓરડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ વઘાસિયા પાસે એક્યુટોપ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં ઓરડી નં-૨૯ માં રહેતો લાલસિંહ શ્યામસિંગ આહિરવાલ નામનો શ્રમિક પોતાની ઓરડીમાં હતો ત્યારે ત્યાં તેને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મુકેશભાઈ સાડેસરા રહે. એકયુટોપ સીરામીક વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
વરલી જુગાર
માળીયા મીયાણાના ખાખરેચી ગામે જાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારી રેડ કરી હતી ત્યારે મનુભાઈ સોંડાભાઈ શંખેસરિયા જાતે કોળી (૨૮) રહે. ખાખરેચી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૪૫૦ રૂપિયાની રોકડ તેની પાસેથી કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી









