હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન


SHARE







મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે જેમાં કન્યાઓને કરીયાવરમાં સોના, ચાંદીના દાગીના સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવશે અને આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની આગેવાની માં ગોસ્વામી સમાજ ના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા ૧૨/૨ ના રોજ મોરબીના  સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી કરવામાં આવેલ છે. આ સમૂહલગ્નમાં દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી ૮૦ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તેમજ આગેવાનો સહિતના હાજર રહેશે આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી, ડો. જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી સહિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News