મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન


SHARE











મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્ન નું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી આ આયોજન કરવામાં આવે છે જેમાં કન્યાઓને કરીયાવરમાં સોના, ચાંદીના દાગીના સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવશે અને આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ગોસ્વામી પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી ની આગેવાની માં ગોસ્વામી સમાજ ના ૧૨માં સમૂહલગ્ન નું આયોજન તા ૧૨/૨ ના રોજ મોરબીના  સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નનું આયોજન ફક્ત દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી કરવામાં આવેલ છે. આ સમૂહલગ્નમાં દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ જીવનજરૂરીઆતની કિંમતી ૮૦ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તેમજ આગેવાનો સહિતના હાજર રહેશે આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી, ડો. જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી સહિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News