માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન


SHARE













મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી હતું અત્રે ઉલેખનીય છે કે, રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ  કથા ગઇકાલે સંપન્ન થયેલ છે જો કે, કથા દરમ્યાન જુદાજુદા પ્રસંગોને ઉજવવામાં આવ્યા હતા અને ત્યાં ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં કથાના છેલ્લા દિવસે કથા દરમ્યાન થયેલ આવક અને ખર્ચનો પારદર્શક હિસાબ પણ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને અનેકવિધ સેવાકીય પ્રવૃતિની સાથોસાથ ત્યાં ગૌશાળા પણ આવેલ છે જેમાં ગાય માતાનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર અને ગૌશાળાના જતન માટે નાના મોટા સાહુકોઈ દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેના થકી રામધન આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિ અને બંને ટાઈમ ભજન તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે






Latest News