મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી હતું અત્રે ઉલેખનીય છે કે, રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ  કથા ગઇકાલે સંપન્ન થયેલ છે જો કે, કથા દરમ્યાન જુદાજુદા પ્રસંગોને ઉજવવામાં આવ્યા હતા અને ત્યાં ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં કથાના છેલ્લા દિવસે કથા દરમ્યાન થયેલ આવક અને ખર્ચનો પારદર્શક હિસાબ પણ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને અનેકવિધ સેવાકીય પ્રવૃતિની સાથોસાથ ત્યાં ગૌશાળા પણ આવેલ છે જેમાં ગાય માતાનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર અને ગૌશાળાના જતન માટે નાના મોટા સાહુકોઈ દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેના થકી રામધન આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિ અને બંને ટાઈમ ભજન તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે






Latest News