હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલ જેલ હવાલે


SHARE







મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલ જેલ હવાલે

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો તે દુર્ઘટના મુદ્દે નોંધાયેલ ગુનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના આઠ તારીખ સુધીના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડની સમય મર્યાદા પૂર્ણ થતા આજે જયસુખભાઇ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટના આદેશથી જયસુખ પટેલને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં ગત તારીખ 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરી હતી તે નવ આરોપીઓ જેલમાં છે અને આ ગુનામાં છેલ્લે પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ને તેના તારીખ 8 સુધીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડની સમય મર્યાદા આજે પૂર્ણ થતી હોય તેને ફરી પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ કેસના તપાસના કામે જયસુખભાઇ પટેલના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી જેથી કરીને મોરબીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ દ્વારા આદેશ કરવામાં આવતા જયસુખભાઈ પટેલને મોરબીની સબજેલ હવાલે કરવામાં આવેલ છે અને હવે આગામી દિવસોમાં જયસુખભાઈ પટેલ સામેનું ચાર્જ સીટ પણ મુકાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે






Latest News