મોરબીની આર્યતેજ ઇન્સ્ટીટ્યુટ ઑફ નર્સિંગમાં ધો.12 પછી જોડાવા માટે એડમીશન્સ ઓપન
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ
SHARE
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે જે જર્જરિત બની ગયો છે જેથી કરીને પાણીનો ટાંકો તૂટી પડે તેવી દહેશત છે માટે આ જૂના ટાંકાને તોડીને નવો ટાંકો બનાવવામાં આવે તવી મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજયના પાણી પુરવઠા મંત્રી અને સાંસદને લેખિતમાં રજુઆત કરી છે.
મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે તે જર્જરીત હાલતમાં છે અને તેની બાજુમાંથી ઘણા વાહનો અને રાહદારીઓ નીકળે છે ત્યારે જો આ ટાંકો તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણ નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને આ જૂના ટાંકાને તોડીને નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે









