મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ


SHARE











મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે જે જર્જરિત બની ગયો છે જેથી કરીને પાણીનો ટાંકો તૂટી પડે તેવી દહેશત છે માટે આ જૂના ટાંકાને તોડીને નવો ટાંકો બનાવવામાં આવે તવી મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજયના પાણી પુરવઠા મંત્રી અને સાંસદને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે તે જર્જરીત હાલતમાં છે અને તેની બાજુમાંથી ઘણા વાહનો અને રાહદારીઓ નીકળે છે ત્યારે જો આ ટાંકો તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણ નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને આ જૂના ટાંકાને તોડીને નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News