મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ


SHARE















મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે મહેન્દ્રનગર ગામે પાણીનો જૂનો ટાંકો તોડીને નવો બનાવવા કરી માંગ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે જે જર્જરિત બની ગયો છે જેથી કરીને પાણીનો ટાંકો તૂટી પડે તેવી દહેશત છે માટે આ જૂના ટાંકાને તોડીને નવો ટાંકો બનાવવામાં આવે તવી મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજયના પાણી પુરવઠા મંત્રી અને સાંસદને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર ગામે વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલ છે તે જર્જરીત હાલતમાં છે અને તેની બાજુમાંથી ઘણા વાહનો અને રાહદારીઓ નીકળે છે ત્યારે જો આ ટાંકો તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે અને જાનમાલને મોટા પ્રમાણ નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને આ જૂના ટાંકાને તોડીને નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News