મોરબી સહિત ગુજરાતમાં શિક્ષક સંઘના અધિવેશન માટે શિક્ષકોના પગારમાંથી રૂપિયા કાપવાના નિર્ણયથી કચવાટ
ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
SHARE
ટંકારાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
ટંકારા તાલુકાનાં લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે પનારા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવ્યો હતો અને ત્રિ-દિવસીય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત બહુચરાજી માતાજી અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય આગેવાન જગદીશ અમરશીભાઈ પનારા તથા પરિવાર દ્વારા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી. જોષી (હજનાળી) અને બી.એમ. દવે (મોરબી)એ વેદિક મંત્રો અને વિધી વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવી હતી અને રાત્રે ભજન ધુન ગરબા અને સુદરકાંડના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ ઉપરાંત યુપીના અયોધ્યા જાનકી ઘાટના રાજકુમારદાસજી મહારાજ, સોમનાથ, દ્વારકા સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહત, રાજકીય આગેવાનો કુભકોના ચંદ્રપાલ યાદવ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશ મેરજા સહિતઓએ દર્શનનો લાભ લીધો હતો









