મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ !: મોરબીના બે શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેર તાલુકામાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ !: મોરબીના બે શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકામાં તસ્કરો દ્વારા સોના ચાંદીના દાગીના, ખાદ્ય સામગ્રી, વાહનો વગેરેની ચોરી તો કરવામાં આવતી જ હોય છે દરમિયાન હાલમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી વીજ કંપનીના અધિકારી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામની સીમમાં સરપંચ અબુજીભાઈ વલીભાઈ સેરસિયાની વાડીમાં આવેલ ૧૦ કે.વી.એ. વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે જે ૬૦ હજાર રૂપિયાની કિંમતના વીજ ટ્રાન્સફોર્મરને ચોરી કરવાના ઇરાદે વીજપોલ ઉપરથી નીચે ઉતારી લેવામાં આવ્યું હતું અને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને હાલમાં વીજ કંપનીના અધિકારી હિતુલકુમાર હરજીવનભાઈ પટેલ દ્વારા હુસેનભાઈ બચુભાઈ સુમરા તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ બનાવમાં હુશેનભાઇ બચુભાઇ સુમરા જાતે સંધી (૩૦) રહે. જોન્સનગર લાતીપ્લોટ મોરબી તથા અલ્તાફશા ગુલાબશા શાહમદાર જાતે ફકીર (૨૧) રહે. હાલ લીલાપર રોડ નીલકમળ સોસાયટી પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માત કરનાર ડ્રાઇવર-કલીનરને માર પડ્યો

મોરબીના પંચાસર ચોકડી પાસે ટ્રક ચાલકે વાહન અકસ્માત સર્જયો હતો જેથી ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને લોકોના ટોળા દ્વારા ટ્રકના ચાલક મોહનરામ મોટારામ (૩૨) હાલ રહે.સામખીયાળી કચ્છ મૂળ રાજસ્થાન તેમજ ક્લીનર અનિલ રૂપારામ જાટ (૨૬) રહે.રાજસ્થાન વાળાઓને ઈજા પહોંચી હોય બંનેને ૧૦૮ વડે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.






Latest News