લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું


SHARE





મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબીના ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડમી દ્વારા મોરબી ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત તા.૧૨-૨ ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ઓપન ગુજરાત સૂર્ય નમસ્કાર સ્પર્ધા મોરબી મુકામે અહિંના રવાપર ગામ પાસે આવેલા રામોજી ફાર્મમાં યોજાઇ હતી.જેમાં આશરે ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી વ્યાસ રાજેન્દ્રભાઇ અશોકભાઈ (આચાર્ય રાયધ્રા પ્રાથમિક શાળા-હળવદ) એ ૩૪૮ સૂર્ય નમસ્કાર કરીને દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને રાયધ્રા પ્રા.શાળા તેમજ વ્યાસ પરીવારનું ગૌરવ વધાર્યું હોય તેમના મિત્ર મંડળ, શુભેચ્છકો અને સગા-સ્નેહીઓ દ્વારા તેઓને તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૬૦૦૩૦ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.સ્પર્ધાને સફળ બનાવવા માટે અહીંના વિનય કરાટે એકેડમીના વાલજીભાઈ ડાભી તેમજ ભક્તિ યોગ કેન્દ્રના સંચાલકોએ જહેમત ઉઠાવી હતી.




Latest News