મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂત સેમિનાર યોજયો


SHARE















મોરબી ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી ખેડૂત સેમિનાર યોજયો

મોરબી ખાતે ૧૫ ફેબ્રુઆરીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, દ્વારા આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ બાજરો, જુવાર, રાગી, સામો, કોદરા, દેશી મકાઈ, કાંગ વગેરે સાત ધાન્યનો કે જે પચવામાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું તેવા હલકા ધાનનું ખોરાકમાં શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ સેમીનારમાં દાજીબાપુએ  ધાન્ય પાકોનું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આ કેન્દ્રના નિલેશભાઈ, ગમન ભાઈ, ઝલારિયાભાઈ, દલસાનીભાઈ અને વિનુજી એ ફિલ્ડ મુલાકાત કરાવી હતી . સેમિનારના અંતે ડૉ.વડારીયાએ  આભાર વિધિ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મિલેટ વર્ષ નિમિતે જો કોઈ સ્કૂલ આવા સેમિનારનું આયોજન કરવા માંગતા હોય તો આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાની મો.૯૪૨૬૯૭૨૫૯૦ અને ડી.એ સરડવા મો.૯૪૨૬૭૮૪૬૨૮ નો સંપર્ક કરી શકાશે.  






Latest News