મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે ઓવરટેક કરવા જતા એસટીના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરના સિંધાવદર પાસે ઓવરટેક કરવા જતા એસટીના ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેર ના સિંધાવદર ગામ પાસેથી વૃદ્ધ પોતાનું સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી એસટી બસના ચાલકે આગળ જતા વાહનો ઓવરટેક કરતા સમયે સ્કૂટરને લીધું હતું જેથી કરીને વૃદ્ધ રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી તેમજ શરીરે નાના મોટી ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી મૃતકના દીકરા દ્વારા એસટી બસના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના જામનગર રોડ ઉપર હુડકો ક્વાર્ટર્સમાં સ્પેશિયલ સ્કૂલની બાજુમાં રહેતા અને હાલમાં વાંકાનેર રાજકોટ રોડ ઉપર મહાવીર સોસાયટી શેરી નં-૧ ના બ્લોક નં-૨૨૮ માં રહેતા અમિતભાઈ રસિકભાઈ જેઠવા જાતે મોચી (૪૦) એ એસટી બસ નં. જીજે ૧૮ ઝેડ ૪૫૫૮ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસેથી તેઓના પિતા રસિકભાઈ જેઠવા પોતાનું જ્યુપિટર સ્કૂટર નં જીજે ૧ ઈયુ ૭૦૬૯ લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેથી એસટી બસનો ચાલકે પોતાના હવાલા વાળી બસને લઈને આવતો હતો અને આગળ જઈ રહેલ વાહનનો ઓવરટેક કરતા સમયે તેણે ફરિયાદીના પિતાના સ્કૂટરને હડફેટ લીધું હતું જેથી કરીને સ્કૂટર ઉપર જઈ રહેલા ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા ફરિયાદીના પિતા રસિકભાઈ જેઠવાનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News