મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ
મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ મુંડિયા સ્વામી આશ્રમે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ પૂર જોરથી ઉજવાયો હતો ત્યારે લક્ષ્મી નારાયણ નારાયણ શિવગણ નારદ મુનિ સાધુ સંતો સર્વ વેશભૂષા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નેહરુ ગેટ ચોકથી સુપર ટોકીઝ સુઘી શોભાયાત્રા નીકળી હતી અને મોરબીની ધર્મ પ્રેમી જનતાએ તેનો લાભ લઇ અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા અને રાત્રે સર્વ ધર્મ પ્રેમી જનતાને ફરાળનો ભંડારોમાં પ્રસાદ લીધો હતો અને ચાર પહોરની આરતી પણ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.