લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ


SHARE





માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ

મોરબી જીલ્લામાં માળીયા નજીક થોડા દિવસો પહેલા જાકળના લીધે એકી સાથે ૩૦ જેટલા વાહનોનો અકસ્માત થયો હતો ત્યાર બાદ આજે સવારે માળિયા મિયાણા નજીક આવેલ ભીમાસર ચોકડી પાસેથી મિનિ બસ જતી હતી ત્યારે કોઈ કારણોસર તે મિનિ બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ મીઓની બસમાં બેઠેલા ડ્રાઈવર અને મુસાફરોમાંથી કુલ મળીને ૧૪ જેટલા લોકોની ઇજા થયેલ હતી જેથી કરીને આ બનવાની તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મીની બસ પલટી મારી હતી ત્યાર ૧૦૮ ની ત્રણ ટિમ પહોચી ગયેલ હતી અને એક હાઈવેની એમ્બુલન્સ ત્યા આવી હતી આમ કુલ મળીને ચાર એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે માળિયા સામુહિક આરોય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેમાંથી બે મુસાફરોને મોરબીની આયુષ હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા છે.

વધુમાં હોસ્પિટલ ખાતે એકતત્રિત થયેલા લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રેમ પારસ મહિલા મંડળના ૨૫ મહિલાઓનું ગ્રુપ સવારે રાજકોટથી ટેમ્પો ટ્રાવેલર્સમાં કચ્છના ભચાઉ પાસે આવેલા નમસ્કાર તીર્થ સ્થળે દર્શન કરવા જતું હતું ત્યારે સવારે સાતેક વાગ્યે ટેમ્પો ટ્રાવેલર્સના ડ્રાઈવરને જોકુ aavi જતા માળિયાના ભીમસર ચોકડી નજીક બસ પલ્ટી મારી ગઈ હતી અને તેમાં સવાર ૧૪ જેટલી મહિલાઓને ઇજાઓ પહોંચતા મહિલાઓને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં રાજકોટના ચેતનાબેન શેઠ, કલ્પનાબેન કાથરાણી, પ્રફુલાબેન પારેખ, જ્યોતિબેન નૈલેશભાઈ, નીતાબેન ચમનભાઈ મહેતા, નીલાબેન હેરન્દ્રભાઈ મેઘાણી, જોલીબેન તરુણભાઇ દામાણી અને વર્ષાબેન નિલેશભાઈ બાટવીયાને વધુ ઈજાઓ પહોંચતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા




Latest News