હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ


SHARE







માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ

મોરબી જીલ્લામાં માળીયા નજીક થોડા દિવસો પહેલા જાકળના લીધે એકી સાથે ૩૦ જેટલા વાહનોનો અકસ્માત થયો હતો ત્યાર બાદ આજે સવારે માળિયા મિયાણા નજીક આવેલ ભીમાસર ચોકડી પાસેથી મિનિ બસ જતી હતી ત્યારે કોઈ કારણોસર તે મિનિ બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ મીઓની બસમાં બેઠેલા ડ્રાઈવર અને મુસાફરોમાંથી કુલ મળીને ૧૪ જેટલા લોકોની ઇજા થયેલ હતી જેથી કરીને આ બનવાની તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મીની બસ પલટી મારી હતી ત્યાર ૧૦૮ ની ત્રણ ટિમ પહોચી ગયેલ હતી અને એક હાઈવેની એમ્બુલન્સ ત્યા આવી હતી આમ કુલ મળીને ચાર એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે માળિયા સામુહિક આરોય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેમાંથી બે મુસાફરોને મોરબીની આયુષ હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા છે.

વધુમાં હોસ્પિટલ ખાતે એકતત્રિત થયેલા લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રેમ પારસ મહિલા મંડળના ૨૫ મહિલાઓનું ગ્રુપ સવારે રાજકોટથી ટેમ્પો ટ્રાવેલર્સમાં કચ્છના ભચાઉ પાસે આવેલા નમસ્કાર તીર્થ સ્થળે દર્શન કરવા જતું હતું ત્યારે સવારે સાતેક વાગ્યે ટેમ્પો ટ્રાવેલર્સના ડ્રાઈવરને જોકુ aavi જતા માળિયાના ભીમસર ચોકડી નજીક બસ પલ્ટી મારી ગઈ હતી અને તેમાં સવાર ૧૪ જેટલી મહિલાઓને ઇજાઓ પહોંચતા મહિલાઓને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં રાજકોટના ચેતનાબેન શેઠ, કલ્પનાબેન કાથરાણી, પ્રફુલાબેન પારેખ, જ્યોતિબેન નૈલેશભાઈ, નીતાબેન ચમનભાઈ મહેતા, નીલાબેન હેરન્દ્રભાઈ મેઘાણી, જોલીબેન તરુણભાઇ દામાણી અને વર્ષાબેન નિલેશભાઈ બાટવીયાને વધુ ઈજાઓ પહોંચતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News