મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ


SHARE











માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ

મોરબી જીલ્લામાં માળીયા નજીક થોડા દિવસો પહેલા જાકળના લીધે એકી સાથે ૩૦ જેટલા વાહનોનો અકસ્માત થયો હતો ત્યાર બાદ આજે સવારે માળિયા મિયાણા નજીક આવેલ ભીમાસર ચોકડી પાસેથી મિનિ બસ જતી હતી ત્યારે કોઈ કારણોસર તે મિનિ બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ મીઓની બસમાં બેઠેલા ડ્રાઈવર અને મુસાફરોમાંથી કુલ મળીને ૧૪ જેટલા લોકોની ઇજા થયેલ હતી જેથી કરીને આ બનવાની તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મીની બસ પલટી મારી હતી ત્યાર ૧૦૮ ની ત્રણ ટિમ પહોચી ગયેલ હતી અને એક હાઈવેની એમ્બુલન્સ ત્યા આવી હતી આમ કુલ મળીને ચાર એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે માળિયા સામુહિક આરોય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેમાંથી બે મુસાફરોને મોરબીની આયુષ હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા છે.

વધુમાં હોસ્પિટલ ખાતે એકતત્રિત થયેલા લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રેમ પારસ મહિલા મંડળના ૨૫ મહિલાઓનું ગ્રુપ સવારે રાજકોટથી ટેમ્પો ટ્રાવેલર્સમાં કચ્છના ભચાઉ પાસે આવેલા નમસ્કાર તીર્થ સ્થળે દર્શન કરવા જતું હતું ત્યારે સવારે સાતેક વાગ્યે ટેમ્પો ટ્રાવેલર્સના ડ્રાઈવરને જોકુ aavi જતા માળિયાના ભીમસર ચોકડી નજીક બસ પલ્ટી મારી ગઈ હતી અને તેમાં સવાર ૧૪ જેટલી મહિલાઓને ઇજાઓ પહોંચતા મહિલાઓને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં રાજકોટના ચેતનાબેન શેઠ, કલ્પનાબેન કાથરાણી, પ્રફુલાબેન પારેખ, જ્યોતિબેન નૈલેશભાઈ, નીતાબેન ચમનભાઈ મહેતા, નીલાબેન હેરન્દ્રભાઈ મેઘાણી, જોલીબેન તરુણભાઇ દામાણી અને વર્ષાબેન નિલેશભાઈ બાટવીયાને વધુ ઈજાઓ પહોંચતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News