હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર


SHARE







મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર

મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાનજી અને ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૂર્તિના સામૈયા, દેવ પૂજન યજ્ઞકાર્ય, સંતોના સામૈયા, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતો-મહંતોમાં આમરણના ભીમ સાહેબ જગ્યાના મહંત ગુલાબદાસ, મોરબી કબીર મંદિરના મહંત કરશનદાસ, પ્રેમજીનગરના કબીરઆશ્રમના મહંત લાલદાસ, ટીંબડી કબીર મંદિરના મહંત કિરણદાસ, કેસર આશ્રમ જોગડુંગરી રેવાબેન (બળેદવપુરી કનુબાપુ) નાગડાવાસ ગુરૂ ભીખારામ, જામ દુધઈ નોંઘાણંદ સાહેબ મંદિર રવિદાસ, હડમતીયા રામદેવપીરજીની જગ્યાના મહંત નરેશદાસ, મોરાર સાહેબ જગ્યાનાં મહંત રફાળેશ્વર જંયતિભાઈ, રફાળેશ્વર મંદિરના મહંત મુકેશભાઈ શુકલ, નાની મોલડી રામેશ્વર આશ્રમના મહંત કમલાગીરી હરીગીરી તથા રફાળેશ્વવર ગામના મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત રફાળેશ્વર ગામના લોકો દ્રારા ધાર્મિક કાર્ય સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.






Latest News