મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર
SHARE
મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર
મોરબીના રફાળેશ્વર મુકામે જુના કુંડ ખાતે મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો તેમજ હનુમાનજી અને ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મૂર્તિના સામૈયા, દેવ પૂજન યજ્ઞકાર્ય, સંતોના સામૈયા, મહાપ્રસાદ અને રાત્રીના ભજન સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતો-મહંતોમાં આમરણના ભીમ સાહેબ જગ્યાના મહંત ગુલાબદાસ, મોરબી કબીર મંદિરના મહંત કરશનદાસ, પ્રેમજીનગરના કબીરઆશ્રમના મહંત લાલદાસ, ટીંબડી કબીર મંદિરના મહંત કિરણદાસ, કેસર આશ્રમ જોગડુંગરી રેવાબેન (બળેદવપુરી કનુબાપુ) નાગડાવાસ ગુરૂ ભીખારામ, જામ દુધઈ નોંઘાણંદ સાહેબ મંદિર રવિદાસ, હડમતીયા રામદેવપીરજીની જગ્યાના મહંત નરેશદાસ, મોરાર સાહેબ જગ્યાનાં મહંત રફાળેશ્વર જંયતિભાઈ, રફાળેશ્વર મંદિરના મહંત મુકેશભાઈ શુકલ, નાની મોલડી રામેશ્વર આશ્રમના મહંત કમલાગીરી હરીગીરી તથા રફાળેશ્વવર ગામના મહંતો ઉપસ્થિત રહ્યા હતા.સમસ્ત રફાળેશ્વર ગામના લોકો દ્રારા ધાર્મિક કાર્ય સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.









