મોરબીના નીચી માંડલ નજીક કારખાના પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે માથાકૂટ બાદ યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબીના ઢુવા પાસેના કારખાનામાં માટીના ઢગલામાં દબાઈ જતા સાત વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના ઢુવા પાસેના કારખાનામાં માટીના ઢગલામાં દબાઈ જતા સાત વર્ષના બાળકનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામ પાસેના સિરામીકના કારખાનામાં માટી ખાતામાં રમી રહેલ બાળક ઉપર ટ્રકમાંથી માટી ખાલી કરતા સમયે ધૂળ પડતાં ધૂળના ઢગલામાં દટાઈ જવાથી સાત વર્ષના બાળકનું કમકમાટીભર્યું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો અને ગુનો નોંધવા બાબતે પરિવાર દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા નજીકના સિગ્નેચર સીરામીક નામના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમા માટી ખાતામાં રમી રહેલ કિશન સુનિલભાઇ ગોહિલ નામના સાત વર્ષના બાળક ઉપર માટી ખાતામાં ટ્રક ખાલી કરતા સમયે ધૂળનો ઢગલો પડ્યો હતો જેથી કરીને માટીમાં દબાઈને ગુંગણાઈ જવાથી કિશન સુનિલભાઈ ગોહિલ નામના સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને અત્રેની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.રોજાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી બનાવને પગલે મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધવા માટે પોલીસને રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
યુવાનનું મોત
મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામના રહેવાસી પરેશ ધીરજલાલ મકવાણા નામનો ૨૭ વર્ષનો યુવાન હળવદના સુંદરગઢ ગામ નજીક હતો ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપાડતા બેભાન હાલતમાં ચરાડવા ખાતે પીએસસીમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જેથી કરીને પરેશ મકવાણાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામનો રહેવાસી રેવાભાઇ સામંતભાઈ બાંભવા નામનો ૪૭ વર્ષનો યુવાન પોતાના ઘરેથી બહાર જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક અન્ય પ્રાણી સાથે અથડાતા વાહન અકસ્માતના બનાવ સર્જાયો હતો જેમાં તેને ઇજાઓ પહોંચી હતી જેથી કરીને રેવાભાઇ બાંભવા નામના યુવાનને સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.રોજાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરી આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.