મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી જતા યુવાન સારવારમાં


SHARE













મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી જતા યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વધુ પડતી ભાંગ પી જતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાંતિપુર ગામનો રહેવાસી સંજય અમૃતભાઈ પરમાર નામનો ૨૪ વર્ષનો યુવાન મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી ગયો હતો જેથી કરીને તે બેભાન થઈ જતા બેભાન હાલતમાં તેને અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલ આધેડ સારવારમાં

મોરબી તાલુકાના કુંતાસી ગામના રહેવાસી કાંતિભાઈ ઓધવજીભાઈ કુંડારીયા નામના ૫૭ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે દવાખાને ખસેડાયા હોય તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે પીપળીયા ચોકડી તરફથી પોતાના ઘરે કુંતાસી ગામ જતા સમયે હજનારી ગામના પાટીયા પાસે તેમનું બાઈક અન્ય વાહન સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાઓ થતા કાંતિભાઈ કુંડારીયાને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ભાવેશ કાંતિભાઈ મોરવાડિયા નામના ૨૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને પોલીસમાં જાણ કરવામાં આવતા તપાસમાં ખુલ્યું હતું કે, હળવદ રોડ ઉપર ઉચી માંડલ ગામ પાસે આવેલ નેક્ષીઓન સિરામિક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા ભાવેશભાઈ મોરવાડીયાને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસે આ અંગે આગળની તપાસ ચલાવી રહી છે.






Latest News