વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી જતા યુવાન સારવારમાં


SHARE













મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી જતા યુવાન સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વધુ પડતી ભાંગ પી જતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કાંતિપુર ગામનો રહેવાસી સંજય અમૃતભાઈ પરમાર નામનો ૨૪ વર્ષનો યુવાન મોરબી નજીકના રફાળેશ્વર મહાદેવ મંદિરે વધુ પડતી ભાંગ પી ગયો હતો જેથી કરીને તે બેભાન થઈ જતા બેભાન હાલતમાં તેને અહિંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલ આધેડ સારવારમાં

મોરબી તાલુકાના કુંતાસી ગામના રહેવાસી કાંતિભાઈ ઓધવજીભાઈ કુંડારીયા નામના ૫૭ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે દવાખાને ખસેડાયા હોય તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે પીપળીયા ચોકડી તરફથી પોતાના ઘરે કુંતાસી ગામ જતા સમયે હજનારી ગામના પાટીયા પાસે તેમનું બાઈક અન્ય વાહન સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાઓ થતા કાંતિભાઈ કુંડારીયાને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા ભાવેશ કાંતિભાઈ મોરવાડિયા નામના ૨૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને પોલીસમાં જાણ કરવામાં આવતા તપાસમાં ખુલ્યું હતું કે, હળવદ રોડ ઉપર ઉચી માંડલ ગામ પાસે આવેલ નેક્ષીઓન સિરામિક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા ભાવેશભાઈ મોરવાડીયાને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસે આ અંગે આગળની તપાસ ચલાવી રહી છે.






Latest News